11:94 શુઐબ(અ.સ.) ની વસ્તી મદયન પર અઝાબનો ખૌફનાક મંજર...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ| આયત નં.:- 94
====================
وَلَمَّا جَآءَ اَمۡرُنَا نَجَّيۡنَا شُعَيۡبًا وَّالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَهٗ بِرَحۡمَةٍ مِّنَّا ۚ وَاَخَذَتِ الَّذِيۡنَ ظَلَمُوا الصَّيۡحَةُ فَاَصۡبَحُوۡا فِىۡ دِيَارِهِمۡ جٰثِمِيۡنَۙ (94)
(94). જ્યારે અમારો હુકમ(અઝાબ) આવી પહોંચ્યો તો અમે શુઐબ અને તેની સાથે (તમામ) મૉમિનોને અમારી ખાસ રહેમતથી બચાવી લીધા અને જાલિમોને સખત ચીખ ના અઝાબે દબોચી લીધા જેનાથી તેઓ પોતાના ઘરોમાં જ ઊંધા મોંઢે પડ્યા રહ્યા.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ એવી ચીખ હતી કે જેનાથી તેમના હ્રદયો ચીરાઈને ફાટી ગયા અને તેઓ મુત્યુ પામ્યાં અને પછી ભૂકંપ પણ આવ્યો (જેનાથી તેઓ પોતાના ઘરોમાં જ ઊંધા મોંઢે પડેલા રહી ગયા...) જેમકે સૂરહ ઍઅરાફ માં છે કે...
(فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِيْ دَارِهِمْ جٰثِمِيْنَ)
(પછી તેઓને ખતરનાક ભૂકંપે પકડી લીધા જેથી પોતાના ઘરોમાં જ ઊંધા મોંઢે પડેલા રહી ગયા...) અને સૂરહ અન્ કબૂત આયત નં-૩૭ માં પણ છે.