11:75-76 આ વિચારને ત્યજી દો...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 75 76 

====================


اِنَّ اِبۡرٰهِيۡمَ لَحَـلِيۡمٌ اَوَّاهٌ مُّنِيۡبٌ‏ (75)

يٰۤـاِبۡرٰهِيۡمُ اَعۡرِضۡ عَنۡ هٰذَا ۚ اِنَّهٗ قَدۡ جَآءَ اَمۡرُ رَبِّكَ‌ ۚ وَاِنَّهُمۡ اٰتِيۡهِمۡ عَذَابٌ غَيۡرُ مَرۡدُوۡدٍ‏ (76)

(75). ખરેખર, ઈબ્રાહીમ ખૂબ જ સહનશીલ, કોમળ હૃદયના અને અલ્લાહ તરફ ઝૂકવાવાળા હતા.

(76). હે ઈબ્રાહીમ!  આ વિચારને ત્યજી દો, તમારા રબનો હુકમ આવી પહોંચ્યો છે અને તેમના પર તે યાતના આવીને જ રહેશે જે કોઈના ટાળવાથી ટળી શકતી નથી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"આ વિચારને ત્યજી દો" આવું ફરિશ્તાઓએ હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ને કહ્યું કે આ ચર્ચા અને તકરારનો કોઈ ફાયદો નથી, આને છોડી દો, અલ્લાહનો (વિનાશનો) હુકમ આવી ગયો છે, જે અલ્લાહ દ્વારા (સમય) નક્કી કરવામાં આવ્યો હતો. અને હવે આ અઝાબ કોઈની દલીલથી અટકશે નહીં કે કોઈની દુઆથી ટળી શકશે નહીં.