11:25-26 તમામ પયગંબરોની એક જ દાવત..."દાવત-એ-તૌહીદ"

 وَلَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰى قَوۡمِهٖۤ اِنِّىۡ لَـكُمۡ نَذِيۡرٌ مُّبِيۡنٌۙ‏ (25)

اَنۡ لَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰهَ‌ؕ اِنِّىۡۤ اَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ اَلِيۡمٍ (26)

(25). અને બેશક અમે નૂહ(અ.સ.)ને તેમની કોમ તરફ રસૂલ બનાવીને મોકલ્યા (તેમણે કહ્યું) કે: "હું તમને સ્પષ્ટ ચેતવણી આપનારો છું"

(26). કે તમે ફક્ત અલ્લાહની જ બંદગી કરો, મને તો તમારા ઉપર દુઃખદાયી અઝાબના દિવસનો ડર છે.”

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ તે જ તૌહીદની દાવત છે જે દરેક નબીએ આવીને પોતાની કોમ ને આપી હતી, ફરમાવ્યું કે: "જેટલા પણ પયગંબર અમે આપના પહેલાં મોકલ્યા હતાં તેમની તરફ આ જ વહી કરવામાં આવી કે અલ્લાહ સિવાય કોઈ મઅબૂદ નથી તેથી અલ્લાહની જ બંદગી કરો. (સુરહ અંબિયા-૨૫)


"દુઃખદાયી અઝાબના દિવસનો ડર છે" એટલે કે જો મારા પર (એટલે કે પયગંબરો પર) ઈમાન ન લાવ્યા અને તેમની દાવતે તૌહીદનો અસ્વિકાર કર્યો તો અઝાબ-એ-ઈલાહીથી નહીં બચી શકો.